કોરોના વાઈરસના પગલે રાજ્યમાં 53 કેસો નોંધાયા છે અને 3ના મોત થયા હતા. જેમાં અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતી 46 વર્ષીય મહિલાનું મોત થતા કોરોના વાઈરસથી અમદાવાદમાં મૃત્યુ આંક 2 થયો છે જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંક 4 પર પહોંચ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 17 કેસો નોઁધાયા છે.


અમદાવાદમાં કોરોના પોઝિટિવથી આજે મળીને કુલ બે મોત થયા છે,  કોવિદ 19ની દર્દી એવી 46 વર્ષીય મહિલાએ કોરોના વાઈરસના કારણે દમ તોડ્યો છે, તે 26મી માર્ચથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી અને વેન્ટિલેટર પર રખાઈ હતી. તેને હાઈપરટેન્શન અને ડાયાબિટીસની પણ બીમારી હતી.

 

25મી માર્ચથી દેશભરમાં લોકડાઉન છે પરંતુ એ પહેલાથી ગુજરાતમાં લોકડાઉન છે. ત્યારે લોકોને બહાર નીકળતા રોકવા અને કોરોનાનો ચેપ વધારે ન વકરે તે માટે તંત્ર ખડેપગે છે. ત્યારે લોકોની બહાર નીકળતા અટકાવવાનું કામ પોલીસના શીરે છે. પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે. અમુક અપવાદોને બાદ કરતા પોલીસ અને પ્રજાનું ઘર્ષણ થયું નથી. પોલીસ પોતાની સેવા વચ્ચે ખાવાપીવાનું કરી શકે તે માટે સોલા પોલીસ સ્ટેશન ખાતે તેમને પોલીસકર્મીઓને જમવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. પોલીસકર્મીઓ સોલા પોલીસ સ્ટેશન ખાતે ચોરસ દોરેલા ખાનામાં ઊભા રહીને ભોજન લે છે.

 

વાઇરસથી બચવા માટે સમગ્ર ભારતમાં લોકડાઉનને પગલે રાજ્યમાં CRPC 144 કલમ લાગુ કરવામાં આવી છે. ઘરની બહાર કામ વગર ન નીકળવા લોકોને સૂચના આપવામાં આવી છે. છતાં કેટલાક લોકો ઘરની બહાર નીકળે છે. જેથી અમદાવાદ પોલીસે હવે કડક કાર્યવાહી કરી રહી છે. 

మరింత సమాచారం తెలుసుకోండి: