ભારતમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે તેવું ગ્રંથોમાં કહેવાયું છે, ગાયનું ગૌમુત્રમાં ધણા ગુણ છુપાયેલા છે.  ગૌમુત્ર સહેલાઇથી બજારમાં મળી જાય છે અને તેને કોઇપણ પી શકે છે એવું માનવામાં આવે છે કે ગૌમુત્ર પીવાથી તમારી દરેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે. જ્યારે ગર્ભવતી ગાયનું મુત્ર સૌથી ઉત્તમ માનવામાં આવે છે. કારણકે આ ગૌમુત્રમાં હોર્મોન અને ખનિજ રહેલા છે. જે સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. તો આવો જોઇએ તેનાથી થતા ફાયદા અંગે…
 
કબજિયાત
 
કબજિયાતની સમસ્યા થવા પર ગૌમુત્રની અંદર અડધી ચમચી મીઠું મિક્સ કરીને પી લો જે પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે તે સિવાય ગેસની સમસ્યા પણ ઓછી થાય છે.
 
ડાયાબિટીસ
 
ડાયાબિટીસના દર્દીઓએ રોજ ગૌમુત્ર પીવુ જોઇએ. તેને પીવાથી શુગરનું સ્તર પણ સારુ રહે છે. જે લોકો રોજ તેનું સેવન કરે છે તેને શુગરની બીમારી થવાની સંભાવના ખૂબ ઓછી થઇ જાય છે.
 
હૃદયની બીમારી
 
હૃદયને સ્વસ્થ રાખવા માટે ગૌમુત્રને દિવસમાં બે વખત પીઓ. તેને પીવાથી હૃદયની બીમારી દૂર રહે થછે. સાથે આ લોકોએ સવારે અને સાંજે ગૌમુત્રનું સેવન કરવું જોઇએ.
 
વધારે વજન
 
વજન ઓછુ કરવા માટે પણ તમે ગૌમુત્રનું સેવન કરી શકો છો. ગૌમુત્ર પીવા પર એક મહિનાની અંદર વજન ઓછું થવા લાગે છે. વજન ઓછું કરવા માટે તમે એક અડધા ગ્લાસ પાણીની અંદર ગૌમુત્ર, મધ અને લીંબુનો રસ મિક્સ કરીને રોજ સવારે ભૂખ્યા પેટે પીઓ. થોડાક દિવસમાં ફરક જોવા મળશે.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: