કોમેડિયન કૃષ્ણા અભિષેકની બહેન આરતી સિંહે પોતાની બિગ બોસ દરમિયાન સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. આરતીએ કહ્યું હતું કે, જ્યારે તે માત્ર 13 વર્ષની હતી ત્યારે તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો હતો. જોકે માધ્યમોની સામે ભાઈ કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહે આ ઘટનાની જાનકારી હોવાનો ઈનકાર કરી દીધો હતો. બાદમાં કૃષ્ણાએ દાવો કર્યો હતો કે, આરતી સાથે દુષ્કર્મનો પ્રયાસ નહોતો થયો.

 

આરતી સિંહે ભાઈ કૃષ્ણાના પ્રતિભાવનો જવાબ વાળતા કહ્યું હતું કે, તે મારો ભાઈ છે. મારો ભાઈ કૃષ્ણા અને મારી માતા મારા લગ્ન ના થયા હોવાથી ભારે અપસેત છે. કૃષ્ણાએ એમ નથી કહ્યું કે મારી સાથે દુષ્કર્મનો પ્રયાસ નથી થયો. કૃષ્ણાને લાગે છે કે, મેં વાત વાતમાં કઈંક વધારે પડતો જ ખુલાસો કરી નાખ્યો હતો.


કૃષ્ણાને લાગે છે કે, મારે માત્ર 3 જ લાઈનો બોલવી જોઈએ, 10 નહીં. કૃષ્ણા આ બાબતે વધારે વાત નથી કરવા માંગતો. તેણે મારા નિવેદનને ખોટું નથી ઠેરવ્યું પણ તે પણ તે પ્રોટેક્ટિવ બની રહ્યો હતો.

 

આરતીએ આગળ ઉમેર્યું હતું કે, કોઈ પણ ભાઈ હોય, તેનું આ નોર્મલ રિએક્શન હોય. મારી માતા ખુબ જ ગુસ્સે હતી. તેને લાગે છે કે, જ્યારે આ વાતનો અંત આવી ગયો છે ત્યારે દુનિયા આખી સામે આ વાતનો ઢંઢેરો પીટરવાનો શો અર્થ? 

మరింత సమాచారం తెలుసుకోండి: