સિનેમા જગતમાં ધુમ મચાવનારી ફિલ્મ બાહુબલીની અનુષ્કા શેટ્ટી છેલ્લાં કેટલાંય સમયથી પોતાના લગ્નને કારણે ચર્ચામાં છે. પહેલાં કહેવાતું હતું કે અનુષ્કા ક્રિકેટર સાથે લગ્ન કરવાની છે. જોકે, પછી એક્ટ્રેસે જાતે જ આ વાતને ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે તેના સંબંધો કોઈ પણ ક્રિકેટર સાથે નથી. અનુષ્કાએ સ્પષ્ટતા કરી હતી કે તે પેરેન્ટ્સની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવાની છે. હવે, અનુષ્કા શેટ્ટીના લગ્નને લઈ એવી ચર્ચા થઈ રહી છે કે તે 44 વર્ષીય ડિરેક્ટર પ્રકાશ કોવેલામુદી સાથે લગ્ન કરવાની છે. પ્રકાશ વર્ષ 2017માં કનિકા ધિલ્લોનથી અલગ થઈ ગયો હતો.

 

સૂત્રોના મતે, 38 વર્ષીય અનુષ્કા શેટ્ટી ડિરેક્ટર કે રાઘવેન્દ્ર રાવના દીકરા પ્રકાશ સાથે લગ્ન કરવાની ચર્ચા થઈ રહી છે. જોકે, એક્ટ્રેસે આ મુદ્દે કોઈ વાત કરી નથી. પ્રકાશ કોવેલામુદીએ ગયા વર્ષે ફિલ્મ ‘જજમેન્ટલ હૈં ક્યા’થી બોલિવૂડમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં કંગના રનૌત તથા રાજકુમાર રાવ હતાં. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ફ્લોપ રહી હતી. અનુષ્કા તથા પ્રકાશ પહેલી વાર વર્ષ 2015માં ફિલ્મ ‘સાઈઝ ઝીરો’ના સેટ પર મળ્યાં હતાં. આ ફિલ્મને પ્રકાશ કોવેલામુદીએ ડિરેક્ટ કરી હતી.

 

ઉલ્લેખનીય છે કે આ પહેલાં અનુષ્કા શેટ્ટીના સંબંધો પ્રભાસ સાથે હોવાની ચર્ચા હતી. પ્રભાસ તથા અનુષ્કા શેટ્ટીએ પછીથી સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર સારા ફ્રેન્ડ્સ છે.

మరింత సమాచారం తెలుసుకోండి: