ફિલ્મ ‘મુન્નાભાઈ MBBS’ અને પછી ‘લગે રહો મુન્નાભાઈ’ ને કોણ ભૂલી શકે છે. આ બંને ફિલ્મોએ દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યુ હતું. ફિલ્મના બધા કિરદાર અને તેમના ડાયલોગ્સ આજે પણ લોકોને યાદ છે.  હવે આ ફેન્ચ્રાઇઝીની ત્રીજી ફિલ્મ એટલે કે ‘મુન્નાભાઈ 3’ ની જાહેરાત પણ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે ‘મુન્નાભાઈ MBBS’ અને પછી ‘લગે રહો મુન્નાભાઈ’ બાદ ફેન્સ આ ફેન્ચ્રાઇઝીની ત્રીજી ફિલ્મની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. ત્યારે હવે તેમના માટે એક સારા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મકાર વિધુ વિનોદ ચોપડાએ કહ્યું કે હવે તેઓ જલ્દી ‘મુન્નાભાઈ’ પ્રોજેક્ટની નવી ફિલ્મ પર ધ્યાન કેન્દ્રીત કરશે. કારણ કે હવે તેઓ એક કોમેડી ફિલ્મ બનાવવા માંગે છે. આપને જણાવી દઈએ કે વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘શિકારા’ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. 

ફિલ્મ ‘શિકારા’ના પ્રમોશન ઇવેન્ટમાં વિધુ વિનોદ ચોપરાએ કહ્યું કે આ ફિલ્મ તેમના દિલના ખૂબ જ નજીક છે અને ફિલ્મ ખૂબ જ થકાવનારી રહી. તેથી હવે તેઓ એક ફન ફિલ્મ બનાવવા માંગે છે. મીડિયા રિપોર્ટ મુજબ તેમણે કહ્યું કે,‘હું લાંબા સમયથી ‘મુન્ના ભાઈ’ સિરીઝની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યો છું. આખરે, હવે મારી પાસે કંઈક એવું છે જે હું કરવા માંગું છું.’ ‘મુન્નાભાઈ’ ફ્રેન્ચાઇઝી ઘણી હિટ રહી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે હાં આ ફિલ્મ(મુન્નાભાઈ 3) પણ સંજયદત્ત સાથે જ બનશે અને આશા છે કે બધા તેમા દેખાશે.

మరింత సమాచారం తెలుసుకోండి: