મંગળવારે બપોર પછી બિહારના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદ દરમ્યાન અનેક જગ્યાએથી વીજળી પડવાની અને લોકોના મૃત્યુ થવાના સમાચાર સામે આવવા લાગ્યા હતાં. મહત્વનું છે કે હવામાન વિભાગે અગાઉથી જ બિહાર, ઝારખંડ અને ઓડીસામાં ભારે વરસાદની આગાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે યૂપી બિહાર અને નોર્થ ઇસ્ટના લોકો માટે આ વરસાદ કાળ બની રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી લખનવ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે 15 થી વધારે લોકો અને 23 પ્રાણીઓના મોત થયા છે જ્યારે 133થી વધારે મકાન ક્ષતિગ્રસ્ત થયા છે.
click and follow Indiaherald WhatsApp channel