પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસનાં પ્રવાસ પર શનિવારનાં કોલકાતા પહોંચી ગયા છે. તેમણે CM મમતા બેનર્જી સાથે મુલાકાત કરી. તૃણમૂલ કૉંગ્રેસનાં વિદ્યાર્થી યૂનિટ અને લેફ્ટનાં કાર્યકર્તાઓએ પશ્ચિમ બંગાળનાં અલગ અલગ ભાગોમાં નાગરિકતા સંશોધન કાયદાનાં વિરોધમાં પ્રદર્શન શરૂ કરી દીધા છે. આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ CAAની વિરુદ્ધ પ્રદર્શનમાં પણ ભાગ લેશે.
 
કોલકાતા પહોંચેલા PM મોદીએ CM મમતા બેનર્જી સાથે મુલાકાત કરી. રાજભવનમાં થયેલી મુલાકાત લગભગ 30 મિનિટ ચાલી. બેઠક બાદ સીએમ મમતા બેનર્જી, તૃણમૂલ કૉંગ્રેસનાં વિદ્યાર્થી યૂનિટ ટીએમસીપી દ્વારા કોલકાતામાં રાણી રાસમણિ માર્ગ પર સીએએ, એનઆરસી અને એનપીઆરની વિરુદ્ધ ધરણામાં સામેલ થશે.

તૃણમૂલ કૉંગ્રેસ પ્રમુખ એક કલાક માટે TMCP પ્રદર્શનકારીઓને મળશે. વામ મોરચાનાં કાર્યકર્તાઓએ શનિવારનાં ઉત્તર 24 પરગણા જિલ્લાનાં અલગ અલગ ભાગોમાં નવા નાગરિકતા કાયદાની વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કર્યું. મુલાકાત બાદ સીએમ મમતા બેનર્જીએ જણાવ્યું કે, “મે પીએમને કહ્યું કે બંગાળનાં લોકોને એનઆરસી અને સીએએ સ્વીકાર નથી. તેના પર પીએમ મોદીએ કહ્યું કે હું બીજા કાર્યક્રમોમાં સામેલ થવા માટે આવ્યો છું. તેમણે કહ્યું કે આના પર વાત કરવા માટે તમે દિલ્હી આવો.”

મમતા બેનર્જીએ આ બેઠકને શિષ્ટાચાર મુલાકાત ગણાવી. નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ PM મોદીનાં કોલકાતા પ્રવાસનો વિરોધ કર્યો. વિરોધના વંટોળ વચ્ચે મોદીની સુરક્ષાનું પણ ખાસ ધ્યોન રાખવામાં આવ્યું છે.

మరింత సమాచారం తెలుసుకోండి: