26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસના અવસર પર આખા દેશમાં એલર્ટ અપાયું છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બોર્ડરની સુરક્ષા વધારી દેવાઇ છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ ‘ઓપરેશન સર્દ હવા’ શરૂ કર્યું છે. તેના માટે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, અને ગુજરાતની બોર્ડર પર 15 દિવસનું એલર્ટ રજૂ કરાયું છે. ગુજરાતમાં 6 પ્રકારે હુમલાની સંભાવના રહી છે. આ 6 પ્રકાર ક્યાં છે તે આવો જાણીએ.
પહેલું આતંકી લોન્ચ પેડથી મસરૂર મોટા ભાઇ દ્વારા પાકિસ્તાન અફઘાની અને તાલિબાની આતંકીઓની ઘૂસણખોરી કરાવી શકે છે. આ આતંકીઓને પાકિસ્તાન રેન્જર્સ મદદ કરી રહ્યા છે.
બીજું પાકિસ્તાન ડ્રોન દ્વારા હથિયાર પણ મોકલી શકે છે. બીએસએફ સૂત્રોએ જણાવ્યું કે આતંકી કમાન્ડર પાકિસ્તાન આર્મી અને ISIની મદદથી પ્રી પ્રોગ્રામ્ડ ડ્રોનનો ઉપયોગ હથિયાર મોકલવા માટે કરી શકે છે.
ત્રીજું સૂત્રોએ જણાવ્યું છે કે પંજાબ અને રાજસ્થાનમાં સ્મગલરો દ્વારા ખાલિસ્તાન સમર્થકોને 26 જાન્યુઆરીના અવસર પર ખલેલ પહોંચાડવા માટે હથિયાર પહોંચાડી શકે છે.
ચોથું તેઓ ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ (ICP), અટારી બોર્ડર, હસૈનીવાલા બોર્ડર અને કરતારપુર કોરિડોર પર એલર્ટ રજૂ કરી દેવાયું છે. બીએસએફે આ જગ્યાઓ પર સુરક્ષા વધારી દીધી છે. શંકા છે કે આતંકી 26 જાન્યુઆરીના રોજ જશ્નમાં ખલેલ પાડી શકે છે.
પાંચમું, બીએસએફે જમ્મુના 13 નાના નાળા અને 3 મોટી નદીઓમાં પણ એલર્ટ વધારી દીધું છે. બીએસએફે માત્ર જમ્મુ જ નહીં પંજાબની નદીઓવાળા વિસ્તારમાં પણ એલર્ટ રજૂ કરી દીધું છે. આ ક્ષેત્રોમાં ઇલેક્ટ્રોનિક સર્વિલન્સ પણ વધારી દીધા છે.
છઠ્ઠું ગુજરાતના હરામીનાળાના વિસ્તારમાંથી લશ્કરના આતંકી ઘૂસણખોરી કરી શકે છે. તેના લીધે બીએસએફે ફાસ્ટ એટેક ક્રાફ્ટ અને ઓલ ટેરેન વ્હિકલની સંખ્યા વધારી દીધી છે. સાથો સાથ ટ્રૂપ્સની સંખ્યા પણ વધારી દીધી છે.
click and follow Indiaherald WhatsApp channel