બિગ બોસ 12’ની પૂર્વ સ્પર્ધક તથા ટીવી એક્ટ્રેસ નેહા પેંડસેએ 5 જાન્યુઆરીએ શાર્દુલ બ્યાસ સાથે મહારાષ્ટ્રીયન વિધિથી પૂનામાં લગ્ન કર્યાં હતાં. શાર્દુલ મહારાષ્ટ્રના પોલિટિકલ પરિવારમાંથી આવે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં નેહાએ જ્યારે શાર્દુલ સાથે સંબંધ હોવાની વાત સ્વીકારી ત્યારે અનેકને નવાઈ લાગી હતી. ટીવી અભિનેત્રી નેહા પેંડસે હાલ પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. 

નેહાએ જણાવ્યું હતું કે, તેના પતિ શાર્દુલ સિંહ વ્યાસના અગાઉ જ બે લગ્ન થઈ ચુક્યા છે. આ તેના ત્રીજા લગ્ન હતાં. અગાઉના લગ્નથી તેને બે દિકરીઓ પણ છે. શાર્દુલે મને બીજી કે ત્રીજી મીટિંગમાં જ કહ્યું હતું કે તે મને ડેટ કરવા માંગે છે. નેહાએ શાર્દુલને જવાબ આપતા કહ્યું હતું કે, આપણે એકબીજાને નથી ઓળખતા અને ડેટિંગમાં વિશ્વાસ નથી રાખતી. શાર્દુલ 35નો છે અને હું 20. લોકો અમારા સંબંધોને લઈને વાતો કરે છે. લોકો શાર્દુલને લઈને પણ અનેક પ્રકારની વાતો કરે છે. તો હું પણ ક્યાં વર્જિન છું. હું ખુશ છું કે તેણે એક મહિલા સાથે પ્રેમ કર્યો અને નિર્ણય પણ લીધો.

નેહાએ શાર્દુલને લઈને કહ્યું હતું કે, મારા કેસમાં શાર્દુલ જેવુ નહોતુ. જ્યારે અમારા સંબંધો કાયમી બની રહ્યાં હતાં ત્યારે તે વ્યક્તિ જ ગાયબ થઈ ગયો. કમ સે કમ શાર્દુલે કમિટમેંત-ફોબિક તો નથી કર્યુ ને.

શું તે હંમેશા ખુશ રહી શકશે? તેનો જવાબ આપતા નેહાએ કહ્યું હતું કે, હું ઈમાનદારીથી કહુ તો કોઈને પણ તેના ભવિષ્ય વિષે નથી ખબર હોતી. હું પ્રેક્ટિકલ છું અને મારૂ માનવુ છે કે સારામાં સારા સંબંધો પણ ખરાબ થઈ શકે છે.

మరింత సమాచారం తెలుసుకోండి: